Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પૂજય મોરારીબાપુને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા પરિમલ નથવાણીઃ જોકે બાપુનો જન્મદિવસ ઉજવાય છે શિવરાત્રીએ

 રાજકોટઃ આંધ્ર પ્રદેશના રાજય સભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને લોકપ્રિય રામાયણ કથાકાર પરમ પૂજયશ્રી મોરારીબાપુને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા લખ્યું છે કે. ઇશ્વર આપને દિર્દ્યાયુ તથા ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના. જોકે પૂજય મોરારીબાપુની જન્મ તારીખ સાચી ન હોવાનું બાપુએ એકથી વધુ વખત તેમની કથા દરમિયાન સ્પષ્ટતા કરતા જણાવેલ છે જાણકાર પૂજય બાપુની નજીકના વર્તુળોના જણાવ્યા પ્રમાણે તારીખ પ્રમાણે પૂજય મોરારી બાપુનો જન્મદિવસ ત્રીજી માર્ચે આવે છે. (જો કે ૩ જી માર્ચ પણ સત્તાવાર નથી) પરંતુ હંમેશા શિવરાત્રીના દિવસે બાપુનો જન્મદિવસ ઉજવાતો રહ્યો છે.

(1:05 pm IST)