Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કોરોના ટાઢો પડવા લાગ્યોઃ રાજકોટ શહેર-જીલ્લામાં આજે માત્ર ૧૨ના મોત

લોકોને રાહતના સમાચારઃ કોરોનાના મૃત્યુ આંકમાં સતત ઘટાડો : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૨૨૨ બેડ ખાલી : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ત્રણ જ મૃત્યુની નોંધ

રાજકોટ, તા. ૨૫: કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં સતત ચોથા દિવસે મૃત્યુ આંકમાં ઘટાડો થયો છે. આજે માત્ર ૧૨ના મોત થયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ત્રણ જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ કોવીડ-નોન કોવીડ થી તા.૨૪નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૫ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૧૨ દર્દીનાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ત્રણ જ મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે અસમંજસતા ફેલાઇ રહી છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૨૨૨ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે . જયારે શહેર-જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે ૨૧, મંગળવારે ૧૯ તથા  બુધવારે માત્ર ૧૭ તથા ગઇકાલે ૧૬નાં મોત થયા છે.

(3:16 pm IST)