Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રાફેલ ડીલ મામલે સાંસદ સંજયસિંહે રક્ષામંત્રી નિર્મલા સીતારામણને મોકલી લીગલ નોટીસ

વકીલ મારફત મોકલાયેલા નોટિસમાં અનેક સવાલો પૂછ્યા

 

નવી દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણને લીગલ નોટિસ મોકલી છે. લીગલ નોટિસ રફાલ ડીલને લઇને તથાકથિત ગોટાળા પર  મોકલવામાં આવી છે

   સંજય સિંહે મોકલાવેલ નોટિસમાં સંરક્ષણ પ્રધાનને સવાલ પૂછ્યો છે કે 126 રફાલ ફાઇટર જેટને ખરીદવાની ડીલ સરકારે કેન્સલ કરીને માત્ર 36 રફાલ જેટ ખરીદવાનો નિર્ણય કેમ કર્યો હતો

  સંજય સિંહે પોતાના વકીલના માધ્યમથી મોકલેલી નોટિસમાં સંરક્ષણ પ્રધાનને સવાલ કર્યો કે દેશની સુરક્ષા સાથે શા માટે સમજૂતી કરવામાં આવી. અને શા માટે  રિલાયન્સ ડિફેન્સ જેવી બિનઅનુભવી કંપનીની રફાલ ડીલમાં ભૂમિકા નક્કી કરવામાં આવી ?

(10:10 pm IST)