Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

તબીયતમાં સુધારો થતા ઋષિકેશ એઇમ્સમાંથી બાલકૃષ્ણને રજા આપી દેવાઈ

નવી દિલ્હી : પતંજલિ આયુર્વેદના સીઈઓ બાલકૃષ્ણની તબિયત ખરાબ થતા તેઓને ઉત્તરાખંડની ઋષિકેશ એઇમ્સમાં દાખલ કરાયા હતા હવે તેઓને ઋષિકેશ એઇમ્સમાંથી ડિસ્ચાર્જ કરાયા છે

એમ કહેવાય છે કે બાલકૃષ્ણ પેંડો ખાદ્યા બાદ બેહોશ થઇ ગયા હતા ત્યારબાદતેને હોસ્પિટલમાં લઇ જવાયા હતા

  યોગગુરુ બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડતા તેને હરિદ્વારની પતંજલિ યોગપીઠની ઓફિસથી રુષકેશ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અહેવાલ મુજબ બાલકૃષ્ણને બેશુદ્ધ હાલતમાં પહેલા હરિદ્વારની ભૂમાનંદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારબાદ ન્યુરો સબંધિત તકલીફોને જોતા ડોક્ટરોની સૂચનાથી તેઓને ઋષિકેશની એઇમ્સમાં દાખલ કરાયા હતા

(9:43 pm IST)