Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવ વિરુદ્ધના તમામ ષડ્યંત્રનો થશે પર્દાફાશ : કપિલ મિશ્રા

નવી દિલ્હી :બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની પેંડા ખાદ્યા બાદ તબિયત લથડતા ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે આ ષડ્યંત્રનો અંત થશે કોઈ સહયોગી દ્વારા પેંડો ખવડાવ્યા બાદ આચાર્ય બાલકૃષ્ણની તબિયત અચાનક બગડી હતી ત્યારબાદ તેઓને ઋષિકેશની એઇમ્સમાં દાખલ કરાયા હતા

   કપિલ મિશ્રાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કર્યું કે પરમપૂજ્ય બાબા રામદેવજીએ જાણકારી આપી છે કે કોઈ વ્યક્તિએ પેંડો ખવડાવ્યો અને ત્યારબાદ બેહોશ જેવી હાલતમાં આચાર્ય બાલકૃષ્ણને દાખલ કરવા પડયા છે હાલમાં સ્વાસ્થ્ય સારું છે કૃષ્ણ ભગવાનની કૃપાથી આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવજી વિરુદ્ધ થયેલ તમામ ષડ્યંત્રનો અંત થશે

(12:32 pm IST)