Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પેંડાને કારણે બેશુદ્ધ થયા હતા આચાર્ય બાલકૃષ્ણ : મેડિકલ બુલેટિન જાહેર :તમામ રિપોર્ટ નોર્મલ

નવી દિલ્હી :પતંજલિના આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણની તબિયત અચાનક લથડતા તેને ભૂમાનંદ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ડોક્ટરોએ તેની ગંભીર હાલતને જોતા તુરત એઇમ્સમાં રીફર કરવા સૂચન કરતા બાલકૃષ્ણને ઋષિકેશની એઇમ્સમાં દાખલ કરાયા હતા હાલમાં તેઓ સ્વસ્થ છે

  પતંજલિ તરફથી એસકેજી તીજરાવાળાએ કહ્યું કે હાલમાં બાલકૃષ્ણની હાલત સુધારા પર છે તેઓએ કહ્યું કે બાબા રામદેવએ આચાર્ય બાલાકૃષણની તબિયતને લઇને ચિતા વ્યક્ત કરનારા કરોડો લોકોનો આભાર વ્યક્ત કરીને કહ્યું કે જન્માષ્ટમી પર એક વ્યક્તિ પેંડા લઈને આવી હતી જે ખાદ્યા બાદ બેહોશ થયા હતા હવે તબિયત સુધારા પર છે

   તેઓએ વધુમાં કહ્યું કે એઇમ્સ દ્વારા જાહેર કરાયેલ મેડિકલ બુલેટિનમાં કહેવાયું છે કે તેની તબિયતનું મુખ્ય પેરામીટર સામાન્ય છે એઈમ્સના મેડિકલ બુલેટિન મુજબ બાલકૃષ્ણનું બ્લ્સ પ્રેસર ,ઈસીજી અને ઇકો સહીત તમામ તપાસનો રિપોર્ટ નોર્મલ છે

(6:38 pm IST)