Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણને ઝેરી પેંડો ખવડાવીને હત્યાનો પ્રયાસ !!:

યોગગુરુરામદેવે વિડીઓમાં કર્યો ખુલાસો : જન્માષ્ટમીએ કોઈ વ્યક્તિ પેંડા લઈને આવ્યો હતો : આગ્રહ કરતા બાલકૃષ્ણે એક પેંડો ખાદ્યો હતો

નવી દિલ્હી : યોગગુરુ સ્વામી રામદેવના સહયોગી અને પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણને કેટલાક લોકોએ ઝેરી પેંડો ખવડાવીને હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું પરંતુ નિષ્ફ્ળ ગયું હતું

  અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય બાલકૃષ્ણને ફૂડ પોઈઝિંગની સમસ્યાને કારણે ઋષિકેશની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા હાલમાં તે સ્વસ્થ છે

   યોગગુરુ સ્વામી રામદેવે વિડિઓ જાહેર કરીને કહ્યું કે આચાર્ય બાલકૃષ્ણ સંપૂર્ણ સ્વસ્થ છે શુક્રવારે કોઈ વ્યક્તિ આચાર્ય બાલકૃષ્ણને તેની ઓફિસે મળવા આવી હતી અને તે વ્યક્તિએ જન્માષ્ટમી પર પેંડા લઈને આવી હતી તેના આગ્રહથી આચાર્ય બાલકૃષ્ણે એક પેંડો ખાધો હતો ત્યારબાદ બાલકૃષ્ણની તબિયત લથડી હતી જોકે હાલમાં તેઓ સ્વસ્થ છે

(6:38 pm IST)