Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

અરુણ જેટલીની સ્મશાન યાત્રા આવતીકાલે રવિવારે નીકળશે : નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ વિદાય: હૈદરાબાદથી અમિતભાઈ શાહ કાર્યક્રમો ટૂંકાવી દિલ્હી દોડી આવ્યા

 પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના આજે દુઃખદ નિધનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે, દરમિયાન મળતી વિગતો મુજબ જેટલીજીના અંતિમ સંસ્કાર આવતીકાલે રવિવારે બપોરે ૨ વાગે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે. દરમિયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ દુઃખદ ખબર મળતાં હૈદરાબાદ ખાતેના તમામ કાર્યક્રમો રદ કરી દિલ્હી દોડી આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આજે યુએઈ ખાતે ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રસંગે ગયા છે તેમને આ દુઃખદ પ્રસંગની જાણ કરવામાં આવી છે અને કાલે સ્મશાનયાત્રામાં તેઓ જોડાશે તેમ જાણવા મળે છે.

(12:00 am IST)