Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મુંબઈના ગોવંડી વિસ્તારમાં બે માળની ઈમારત ધરાસાયી : ચાર લોકોના મોત : 7 લોકોને ઘાયલ

લોકો ઘરમાં ઉંઘમાં હતા ત્યારે મકાન તૂટી જવાને કારણે કાટમાળ નીચે પડયો

મુંબઈના ગોવંડી વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી થતા તેમાં પણ ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 7 લોકોને ઈજા પહોંચી હતી. જોકે ઘાયલોને ઘાટકોપરની રાજાવાડી અને સાયન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. લોકો ઘરમાં ઉંઘમાં હતા ત્યારે મકાન તૂટી જવાને કારણે કાટમાળ નીચે પડતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. જ્યાં ઈમારત ધરાશાયીની ઘટનાની જાણ થતા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(12:00 am IST)