Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સોશિયલ મીડિયાની અસરથી ન્યાયાધીશો અને ન્યાયતંત્ર પણ બાકાત નથી : ફાઇલ જોયા પહેલા જ અમારી સામે કયો કેસ આવશે અને શું દલીલો થશે તે સોશિયલ મીડિયા જણાવે છે : લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડનું ઉદબોધન

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સોશિયલ મીડિયાની અસર એવી રહી છે કે ન્યાયાધીશો અને ન્યાયતંત્ર પણ તેનાથી બાકાત નથી રહ્યા. તેમણે વાસ્તવિકતા પર ભાર મૂક્યો કે ન્યાયાધીશો કેસને જુએ તે પહેલાં જ, સોશિયલ મીડિયા તેમને જણાવે છે કે તેમની સામે શું આવવાનું છે.

"તમારી સમક્ષ શું રજૂ થવાનું છે તે વિશે તમને કહેવામાં આવે છે, અથવા દલીલ પહેલાં પણ તમારી સમક્ષ શું દલીલ કરવામાં આવશે તે પણ જણાવે છે. આ સામાજિક વાસ્તવિકતા છે."

જો કે, તેમણે જાળવી રાખ્યું હતું કે સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતી વખતે કાળજી અને સાવચેતી રાખવી જોઈએ, કારણ કે તે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

જસ્ટિસ ચંદ્રચુડ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (LSE)માં 'એક્સપિરિયન્સ વિથ અજ્યુડિકેશનઃ રિકોન્સિલિંગ રાઇટ્સ, આઇડેન્ટિટીઝ એન્ડ પ્રિજ્યુડિસિસ' વિષય પર બોલી રહ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:53 pm IST)