Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગિરિરાજ સિંહ, રામસુરત રાય સહિત ભાજપના 23 નેતાઓ વિરુદ્ધના કેસમાં સાક્ષી હાજર ન થયા : બિહારના મુઝફ્ફરપુરમાં ટ્રેન રોકવાના આરોપસર ચાલી રહેલા કેસ માટે આગામી મુદત 8 જુલાઈના રોજ

બિહાર : બિહારના મુઝફ્ફરપુરમાં ટ્રેન રોકવાના મામલામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, બિહારના મંત્રી રામસુરત રાય, સાંસદ વીણા દેવી સહિત ભાજપના 23 નેતાઓ વિરુદ્ધ કોર્ટમાં કોઈ સાક્ષી હાજર થયા નથી.

મુઝફ્ફરપુર જંકશન રેલ્વે સ્ટેશન પર ટ્રેનો રોકવા માટે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સહિત 23 નેતાઓ સામે નોંધાયેલા કેસમાં શુક્રવારે જુબાની થઈ શકી નથી. આ કેસમાં સાક્ષીઓ MP MLA સ્પેશિયલ કોર્ટમાં હાજર થયા ન હતા. હવે કોર્ટે જુબાની માટે 8મી જુલાઈની તારીખ આપી છે. આ કેસમાં મંત્રી રામસુરત રાય, વૈશાલી સંસદ વીણા દેવી, પૂર્વ મંત્રી સુરેશ કુમાર શર્મા સહિત ભાજપ અને આરએલએસપીના ઘણા નેતાઓ આરોપી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:56 am IST)