Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

લોકોને ગળે લગાવીને જય શ્રીરામનો નારો લગાવી : તેમનું ગળુ દબાવીને નહીં:મુખ્તાર અબ્બાસ નકવી

ઝારખંડની ઘટનામાં સામેલ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ

 

નવી દિલ્હી :કેન્દ્રીય લઘુમતી પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ઝારખંડમાં ભીડ દ્વારા માર મારીને હત્યા કરવાનો જઘન્ય ગુનો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે લોકોને ગળે લગાવીને જય શ્રીરામનો નારો લગાવી શકાય છે. કે તેમનું ગળુ દબાવીને. નકવીએ કહ્યું કે ઘટનામાં જે પણ લોકો સામેલ છે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઇએ

ઝારખંડના સરાયકેલામાં બાઇક ચોરીની આશંકામાં ભીડે તરબેઝ નામના એક યુવકને બાંધીને માર માર્યો હતો. જે બાદ જેલમાં તેનું મૃત્યુ થયું હતુ. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ભીડ દ્વારા માર મારવા દરમિયાન તેની પાસે જય શ્રીરામના નારા પણ લગાવાયા હતા.

(10:41 pm IST)