Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આરાધ્યા બચ્ચન બનશે ભારતની પ્રધાનમંત્રી !

હૈદરાબાદના જ્યોતિષની ભવિષ્યવાણીઃ નામ બદલી રોહિણી રાખવા સલાહ : ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૨૪માં લડાઈ થશે

હૈદરાબાદ, તા. ૨૫ :. શહેરના એક જ્યોતિષની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરીએ તો અમિતાભ બચ્ચનની પૌત્રી અને અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા રાજનીતિમાં આગળ જઈ શકે છે. આ ભવિષ્યવાણી જ્યોતિષ ડી. જ્ઞાનેશ્વરે કરી છે.જ્ઞાનેશ્વરે રવિવારના રોજ એક મીડિયા કોન્ફરન્સમાં વર્ષ ૨૦૧૮ માટે નવી ભવિષ્યવાણીની જાહેરાત કરી હતી. તેમનો દાવો છે કે તેમણે જ સૌથી પહેલા સટીક ભવિષ્યવાણી કરી હતી કે ચિરંજીવી અને રજનીકાંત રાજનીતિમાં પ્રવેશ કરશે. આ પહેલા ૨૦૦૯માં તેમણે કોંગ્રેસની સરકાર બનવાની ભવિષ્યવાણી પણ કરી હતી. જ્ઞાનેશ્વરે કહ્યું કે જો ભવિષ્યમાં આરાધ્યા ભારતની વડાપ્રધાન બનવા માંગે છે તો તેણે નામ બદલીને રોહિણી કરી નાખવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમિતાભ બચ્ચન પણ ૧૯૮૯માં કોંગ્રેસ પાર્ટીની ટીકીટ પર લોકસભાની ચૂંટણી જીતી ચૂકયા છે. જો કે તેમણે પછીની રાજકારણ છોડી દીધુ હતું. જ્ઞાનેશ્વરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીવાર જીતશે તેવી ભવિષ્યવાણી પણ કરી છે.

આ સિવાય જ્ઞાનેશ્વરે જણાવ્યુ કે રજનીકાંત તમિલનાડુના મુખ્યમંત્રી પદ પર બેસશે. તેમણે કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૨૪માં લડાઈ જશે. તેમણે મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીને ૨૦૧૯માં લગ્ન કરવાની સલાહ આપી છે.

(3:24 pm IST)