Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પાકિસ્તાનમાં હવાઈ દુર્ઘટના માટે પાઇલોટની બેદરકારી જવાબદાર : નક્કી કરેલી ઉંચાઈ કરતાં વધારે ઉંચાઈ ઉપર ઉડાડ્યું : ATC રિપોર્ટ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં 97 નિર્દોષ લોકોનો ભોગ લેનાર હવાઈ દુર્ઘટના માટે પાઇલોટની બેદરકારી જવાબદાર હોવાનું તારણ નીકળ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
         પ્રાપ્ત વિગત મુજબ   રિપોર્ટમાં જણાવાયા મુજબ વિમાન સમુદ્રથી 15 માઈલ દૂર હતું ત્યારે 7 હજાર ફૂટની ઉંચાઈ સુધી જ ઉડાડવાની ચેતવણી આપી હોવા છતાં પાઇલોટ તેને 10 હજાર ફૂટ ઉંચે સુધી લઇ ગયો હતો.અને 10 માઇલ દૂર હતું ત્યારે 3 હજાર ફૂટની ઉંચાઈને બદલે 7 હજાર ફૂટ ઉંચે લઇ ગયો હતો.જે બેદરકારી જીવલેણ નીવડી હતી.

(5:41 pm IST)