Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પ્રેમ-શાંતિ અને ભાઇચારાનું પ્રતિક છે ઇદઃ રામનાથ કોવિંદ ઇદનું વિશેષ પર્વ કરૂણા-સૌહાર્દની ભાવનાને આગળ વધારે છેઃ નરેન્દ્રભાઇ

દેશવાસીઓને ઇદની શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રપતિ-વડાપ્રધાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇએ દેશવાસીઓને ઇદની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ કોવિંદજીએ ટવીટમાં જણાવેલ કે ઇદ મુબારક આ પર્વ પ્રેમ, શાંતિ અને ભાઇચારાનું પ્રતિક છે. ઇદ ઉપર આપણે સમાજના જરૂરીયામ મંદ લોકોના દર્દ વહેંચવા અને ખુશીઓ આપવાની પ્રેરણા મળે છે. આવો, આ મુબારક મોકા ઉપર જકાતની ભાવનાને મજબુત બનાવી અને કોરોનાની રોકથામ માટે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરી.

નરેન્દ્રભાઇએ શુભેચ્છા સંદેશમાં જણાવેલ કે, આ વિશેષ પર્વ કરૂણા, ભાઇચારા અને સૌહાર્દની ભાવનાને આગળ વધારે છે. બધા સ્વસ્થ અને સમુધ્ધ હોય તેવી શુભેચ્છા.

(3:56 pm IST)