Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રામ મંદિરનું નિર્માણ શરૂ

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષે આપી માહિતી

નવી દિલ્હી તા. ૨૫ : શ્રી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસે ૨૮ વર્ષ બાદ રામલલ્લાના દર્શન કર્યા. તેઓએ કહ્યું કે, મંદિર નિર્માણ કાર્ય આજથી પ્રારંભ થયું છે. મશીનો આવતા રહેશે અને મંદિર નિર્માણ થશે. રામલલ્લાના દર્શન કરીને ટ્રસ્ટના અધ્યક્ષ ભાવવિભોર થઇ ગયા છે. રામલલ્લાના ટેન્ટથી બહાર નીકળીને અસ્થાયી મંદિરમાં બિરાજમાન થયા બાદ પ્રથમવાર રામલલ્લાના દર્શન કર્યા બાદ તેઓએ કહ્યું કે, આજે ખૂબ જ પવિત્ર દિવસ છે. જ્યાં રામલલ્લા બિરાજમાન છે તેના દર્શન માટે અમે આવ્યા છીએ. ખૂબ જ સારી રીતે દર્શન થયા અને દરેક લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવી.

મહંત નૃત્યગોપાલદાસે વધુમાં ઉમેર્યું કે જ્યાં રામલલ્લા પ્રગટ થયા છે ત્યાં આવીને દર્શન કરવા જોઇએ. મંદિર નિર્માણ કાર્ય પર તેઓએ કહ્યું કે, જે પથ્થરો છે તે તૈયાર થઇ ચૂકયા છે. મંદિર નિર્માણ કાર્ય આજથી શરૂ થશે. મશીનો આવશે અને મંદિર નિર્માણ થશે અમે આજથી મંદિર નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે.

(3:54 pm IST)