Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જમ્મુ સંભાગમાં પર લોકો પોઝિટીવ : સેનાના મેજર, બીએસએફ-પોલીસના જવાન પણ સામેલ

ઉપરાજયપાલના સલાહકારના પત્નિ-પુત્ર દિલ્હીથી પરત આવતા કોરોના સંક્રમિત બન્યા

જમ્મુ, તા. રપ : ગઇકાલે જાહેર થયેલ કોરોનાના આંકડા મુજબ જમ્મુમાં બાવન લોકો સંક્રમિત હોવાનું જાહેર થયું હતું. જેમાં ઉપરાજયપાલના સલાહકારના પત્નિ અને પુત્ર, સેનાના મેજર, બીએસએફ જવાન અને જમ્મુ-કાશ્મીરના એક પોલીસ જવાનનો પણ સમાવેશ થાય છે. ઉપરાજયપાલના સલાહકારના પત્નિ અને પુત્ર દિલ્હીથી પરત ફરેલ અને કોરોનાના લક્ષણ હોવાથી કટરાની હોસ્પીટલમાં દાખલ કરાયેલ. ઉપરાંત જમ્મુના કઠવાના લખનપુરમાં તૈનાત ઇન્ડીયન રિઝર્વ બટાલીયનના એક કોન્સ્ટેબલ પણ કોરોના પોઝીટીવ જાહેર થયેલી. તે લખનપુર ખાતે મુસાફરોની તલાસી માટે તૈનાત હતો. આ પર કેસમાંથી જમ્મુ જીલ્લાના ર૬, સાંબાના ૮, કઠુઆના ૪, જયારે ઉધમપુર, રિયાસી અને રાજૌરીમાંથી ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે.

(3:51 pm IST)