Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

તિરૂપતિ મંદિર દાનમાં મળેલ ૨૩ સંપતિઓની હરરાજી કરશે

વિશ્વના સૌથી ધનાઢય મંદિરને કોરોનાથી આર્થીક સંકટ ઉભુ થયું

નવી દિલ્હીઃ કોરોના વાયરસે અર્થવ્યવસ્થા ઉપર ખુબ જ ખરાબ અસર કરી છે. આ અસરમાંથી વિશ્વના સૌથી ધનાઢય મંદિર તિરૂપતિ દેવસ્થાન પણ બાકાત નથી. મંદિરના તંત્ર દ્વારા ભકતોએ દાનમાં આપેલ ૨૩ સંપતિઓની હરરાજી કરવાનું નકકી કર્ર્યું છે. આ તમામ સંપતિઓ તામીલનાડુમાં આવેલી છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ બોર્ડે આ સંપતિઓની હરરાજી માટે બે કમીટીઓ બનાવી છે. ઙ્ગ આ સંપતિઓ અલગ-અલગ જીલ્લાઓમાં મકાન અને ખેતીની જમીન સામેલ છે. જેની બેઝ પ્રાઇઝ ૧.૫૦ કરોડ રાખવામાં આવી છે. મંદિરના ખર્ચા, સુરક્ષા અને કર્મચારીઓના પગાર માટે લગભગ ૧૨૫ કરોડ રૂપિયાની જરૂર છે. બે મહિનાના લોકડાઉનના કારણે મંદિરે હુંડીની આવકમાં ૪૦૦ કરોડ ગુમાવ્યા છે.

(12:48 pm IST)