Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

પૂ. મહંત સ્વામી મહારાજે નરેન્દ્રભાઇ મોદી-અમિતભાઇ શાહને શુભેચ્છા પાઠવી

રાજકોટ, તા. રપ : પૂ. મહંત સ્વામીએ ભાજપના વિજયના વધામણાને આવકાર્યા હતાં અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા શ્રી અમિતભાઇ શાહને અભિનંદન પાઠવ્યા હતા.

પૂ. મહંત સ્વામીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં વિકાસ અને વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. આપના અને આપના સાથીઓ શ્રી અમિતભાઇ ઉપરાંત સર્વે સ્વયંસેવકોના નિસ્વાર્થ અને અથાગ પુરૂષાર્થ -પ્રાર્થનાથી ભગવાને વિજયી બનાવ્યા છે.

આપના ઉપર ભગવાન તથા તમામ સંતો, સત્પુરૂષોની અખંડ દૃષ્ટિ રહે. આપનું સ્વાસ્થ્ય સદાય સારૂ રહે. નાના મોટા સૌનો સહકાર મળે. દેશ અને પરદેશમાં સંપ, સુહૃદયભાવ અને એકતાનું વાતાવરણ સર્જાય. ખાસ ભારત દેશ, ભારતીય સંસ્કૃતિ, ધર્મના મૂલ્યો તથા દેશવાસીઓનો વિકાસ થાય. વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા વધે અને સાચી પ્રગતિ થાય. સૌના શુભ સંકલ્પો અને સ્વપ્નાઓ સિદ્ધ થાય તે માટે અંતરથી ભગવાન સ્વામિનારાયણ અને ગુરૂહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના.

(3:57 pm IST)