Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

કોંગ્રેસ દ્વારા પરાજ્યનું પોસ્ટમોર્ટમ

દિલ્હીમાં પક્ષની કારોબારીની મિટીંગઃ મહામંથન...શરૂ

નવી દિલ્હી તા. રપ : કોંગ્રેસ કારોબારીની બેઠક ચાલી રહી છે બેઠક પહેલા રાહુલગાંધીએ રાજીનામાની ઇચ્છા વ્યકત કરી હતી. તેના પર રાહુલને પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહે સમજાવ્યા છે. મનમોહનસિંહે કહ્યું કે હારજીત થતી રહે છે. રાજીનામાની જરૂર નથી. હજુ બેઠકમાં મહામંથન ચાલુ છ.ે

સુત્રોના જણાવ્યા મુજબ ર૩ મે એ રાહુલગાંધીએ સોનિયા ગાંધીને રાજીનામાની વાત કહી હતી તેના પર સોનિયાગાંધીએ રાહુલને CWC માં વાત રાખવાનું કહ્યું હતું. આજે રાહુલ રાજીનામું આપવા માંગતા હતા પરંતુ બેઠક પહેલા પ્રિયંકાગાંધી અને મનમોહનસિંહે રાહુલને સમજાવ્યા.

જોકે અહેવાલો એવા પણ મળી રહ્યા છે. કે  CWC ની બેઠકમાં રાહુલ ગાંધીના રાજીનામાની ખબરોને કોંગ્રેસ નકારી રહી છે.

(3:34 pm IST)