Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મુકેશ અંબાણી પરિવાર અને ભાવિ પુત્રવધુ સાથે બદ્રીનાથ અને કેદારનાથની યાત્રાએ : રૂપિયા પ૧ લાખનું દાન અર્પણ કર્યું

દેહરાદૂનઃ રિલાયન્સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પરિવાર અને ભાવિ પુત્રવધુ સાથે બદ્રીનાથ અને કેદારનાથની યાત્રાએ દર્શનાર્થે ગયા હતાં.

મુકેશ અંબાણી સાથે તેમના દીકરા આકાશ અંબાણી અને ભાવી પુત્રવધુ શ્લોકા મેહતા પણ બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા કરી અને અહીંયાં દર્શન કર્યા. આ દરમિયાન મુકેશએ સહપરિવાર બંને મંદિરોમાં પૂજા કરી અને આ બાદ સ્થાનિક અદધિકારીઓ સાથે વાતચીત પણ કરી.

જાણકારી મુજબ મુકેશ ગુરુવારે પોતાના પ્રાઈવેટ હેલિકોપ્ટર દ્વારા સવારે 8.30 વાગ્યે બદ્રીનાથ પહોંચ્યા હતા. અહીંયાં પૂજા-અર્ચના કરીને તેમણે ભગવાનના આશીર્વાદ લીધા. આ બાદ લગભગ 10 વાગ્યે તેઓ સહપરિવાર સાથે કેદારનાથ પહોંચ્યા. અહીંયા પણ તેમણે પૂજા-અર્ચના બાદ સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી. આ બાદ તેમણે બીકેટીસીને 51 લાખ રૂપિયાનો ચેક પણ પ્રદાન કર્યો.

કેદારનાથમાં દર્શન બાદ મુકેશ અંબાણીએ અહીં ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ બાદ મુકેશ પરિવાર સાથે પાછા મુંબઈ માટે રવાના થયા હતા.

મુકેશ અંબાણી આ પહેલા પણ ભાવી પુત્રવધુ શ્લોકા મહેતા અને પત્ની નીતા અંબાણી સાથે 25 માર્ચે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં દર્શન માટે ગયા હતા. શ્લોકા અને આકાશની સગાઈ આ મહિને જ થઈ અને વર્ષના અંત સુધીમાં બંને એકબીજા સાથે લગ્ન કરશે તેવી પણ જાણકારી મળી રહી છે.

(5:25 pm IST)