Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અલ્હાબાદનું બદલાશે નામ :હવે કહેવાશે પ્રયાગરાજ ;કુંભમેળા પહેલા જ કરાશે ફેરફાર

ઉત્તરપ્રદેશની યોગી સરકાર ટૂંક સમયમાં અલ્હાબાદ શહેરનું નામ બદલવા પ્રયત્નશીલ છે. નામ બદલાવવાની પ્રક્રિયા 2019 કુંભમેળા પહેલા પૂર્ણ કરી લેવાશે. સરકાર તરફથી આ અંગે આદેશ પ્રસિધ્ધ કરાયા બાદ સત્તાવાર રીતે અલ્હાબાદ પ્રયાગરાજ તરીકે ઓળખાશે.ઉલ્લેખનીય છે કે અહીં ગંગા,યમુના અને સરસ્વતી એમ 3 નદીઓનો સંગમ થાય છે. તેમજ સદીઓથી શહેરની ઓળખ પ્રયાગ તરીકે થઈ છે.

(2:04 pm IST)