Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

કેનેડાના વિરોધપક્ષના નેતા ભારતીય મૂળના શ્રી જગમીતસિંહ ૧૦ વર્ષની ઉંમરે યૌન શોષણનો ભોગ બન્યા હતાઃ પોતાની આત્મકથા લવ એન્ડ કરેજ માં વિન્ડસર ઓન્ટારીયોમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ

ટોરેન્ટો : કેનેડાના વિરોધપક્ષના નેતા ભારતીય મૂળના શ્રી જગમીતસિંંહએ પોતે પણ ૧૦ વર્ષના હતા ત્યારે યૌન શોષણનો ભોગ બન્યા હતા તેવું તેમના પુસ્તકમાં લખ્યુ હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

         ન્યુ ડેમોક્રેટીક પાર્ટીના ૪૦ વર્ષીય શીખ નેતાએ ૧૯૮૦ ના દશકામાં વિન્ડસર ઓન્ટારીયોમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમના શિક્ષકે કરેલા તેમની સાથેના વર્તનનો ઉલ્લેખ કર્યો છે.  જોકે તેમણે આ બાબતની જાણ કોઇને કરી નહોતી. તેમના ઉપરોકત શિક્ષકનું બાદમાં અવસાન થઇ ગયુ હતુ તેમ જણાવ્યું છે.

         આ ઘટના તેમણે પોતાના પુસ્તક લવ એન્ડ કરેજ '' માય સ્ટોરી ઓફ ફેમિલી, રેજોલન્સ, એન્ડ ઓવરકમિંગ ધ અનએકસ્પેડેટ '' માં વર્ણવી છે. જેનો હેતુ પોતાની ભૂલ ન હોય તેવા સંજોગોમાં પણ અન્યાયનો ભોગ બન્યા હોય તેની ચોખવટ કરવામા શરમ ન અનુભવવી જોઇએ તેવો અહેસાસ કરાવવાનો છે તેમ જણાવ્યું છે.

(8:37 pm IST)