Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગુજરાતમાં કોરોના કેસ માં જબ્બર ઉછાળો : આજે નવા કેસ 400 ને થયા પાર : છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૨૧૯ કેસ સહીત રાજયમાં કુલ નવા ૪૦૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

આજે ફરી રાજયમાં ૨ દુ:ખદ મૃત્યુ અમદાવાદ શહેર અને કચ્છમાં નોંધાયા : જ્યમાં એક્ટિવ કેસ વધીને ૧૫૨૯ થયા : રાજ્યના શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના કેસ માં જબ્બર ઉછાળો નોંધાતા આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા ૪૦૨ કેસ નોંધાયા છે, જ્યારે આજે વધુ ૧૬૨ દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૬૭,૫૮૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે ફરી રાજયમાં ૨ દુ:ખદ મૃત્યુ અમદાવાદ શહેર અને કચ્છમાં નોંધાયા છે. રાજયમાં કોરોના થકી કુલ મૃત્યુઆંક 11,052 થયો છે અને રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.02 છે. રાજયમાં કોરોના રસીકરણ અભિયાન થકી આજે વધુ ૫૪૩ લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૧૨,૮૦,૯૮,૭૮૫ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 1529 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર છે જયારે 1522 દર્દીઓ સ્ટેબલ હાલતમાં છે. રાજ્યના શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર આંકળાકીય સૂચિ નીચેના કોષ્ઠક માં દર્શાવામાં આવેલી છે..

(8:25 pm IST)