Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

લગ્નેતર સંબંધોમાં અટવાઇ સતત ચર્ચામાં રહેતી ફિલ્‍મ જગતની સુંદરીઓ

સંજીદા શેખ, દીપિકા કક્કડ, કામ્‍યા પંજાબી, નિશા રાવલ, મલાઇકા અરોરા જેવી અભિનેત્રીઓ લગ્ન સંબંધો જાળવવામાં નિષ્‍ફળ

Alternative text - include a link to the PDF!

મુંબઇઃ હિરોઈનોની અંગત જિંદગી ઘણીવાર હેડલાઈન્સમાં રહે છે. આવી સ્થિતિમાં, ઘણી વખત સ્ટાર્સ સાથેના એક્સ્ટ્રા-મેરિટલ અફેર્સની પણ ખૂબ ચર્ચા થાય છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે લગ્ન પછી પણ ઘણી અભિનેત્રીઓ પોતાના પતિને બદલે કોઈ અન્ય તરફ એટલી આકર્ષિત થઈ જાય છે કે તેઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવા લાગે છે. આજે અમે એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમના પર લગ્નેતર સંબંધનો આરોપ લાગ્યો હતો.

સંજીદા શેખ
અભિનેતા આમિર અલી અને સંજીદા શેખ એક સમયે લોકપ્રિય ટીવી કપલ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજીદા શેખ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પણ આરોપ છે. તેમના છૂટાછેડાનું કારણ અભિનેતા હર્ષવર્ધન રાણે હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'તૈશ'ના શૂટિંગ દરમિયાન સંજીદા અને હર્ષવર્ધનની નિકટતા ઘણી વધી ગઈ હતી.

દીપિકા કક્કડ
દીપિકા કક્કડ પર પહેલા પતિ રૌનક સાથે છૂટાછેડા પછી લગ્નેત્તર સંબંધનો આરોપ પણ લાગ્યો હતો. દીપિકા વર્ષ 2011માં શોએબ ઈબ્રાહિમને મળી હતી અને બીજા વર્ષે તેણે રૌનકથી છૂટાછેડા લઈ લીધા હતા. આજે દીપિકા અને શોએબ એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને તેમના પહેલાં બાળકના આગમનની તૈયારી કરી રહ્યા છે.

કામ્યા પંજાબી
જાણીતી ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી પર તેના પતિ પર છેતરપિંડીંનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પૂર્વ પતિ બંટી નેગીએ કામ્યા પર સંજય દત્તના પિતરાઈ ભાઈ નિમાઈ બાલી સાથે એક્સ્ટ્રા-મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કામ્યા હંમેશા આ આરોપોને નકારી રહી છે. 

નિશા રાવલ
અન્ય એક પ્રખ્યાત ટીવી કપલ જે હવે સાથે નથી. નિશા રાવલ વિશે કરણ મહેરાએ ખુલાસો કર્યો છે કે નિશાનું અફેર તેના કૌટુબિંક ભાઈ રિતેશ સેટિયા સાથે ચાલી રહ્યું હતું.

મલાઈકા અરોરા
આ યાદીમાં મલાઈકા અરોરાનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝ ખાન સાથે મલાઈકાના છૂટાછેડાનું કારણ તેની અર્જુન કપૂર સાથેની વધતી નિકટતા હતી. અરબાઝથી છૂટાછેડા બાદ અર્જુન અને મલાઈકા એકબીજા સાથે છે.

(6:15 pm IST)