Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

દિલ્હીમાં મોહલ્લા ક્લિનિકના ડૉક્ટર કોરોના સંક્રમિત: ડૉક્ટરની પાસે ગયેલ દર્દીને ક્વોરન્ટાઇનમાં જવા આદેશ

 

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વચ્ચે દિલ્હીમાં એક ડૉક્ટર કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. જ્યારબાદ ડૉક્ટરની પાસે ગયેલ દર્દીને ક્વોરન્ટાઇનમાં જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉત્તરપૂર્વી દિલ્હીના મોહલ્લા ક્લિનિકના એક ડૉક્ટર કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તંત્રને વાતની જાણ થતા તાત્કાલિક વિસ્તારમાં નોટિસ ચિપકાવી દીધી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 12 માર્ચથી લઇને 18 માર્ચ સુધી જે પણ દર્દી મોહલ્લા ક્લિનિકમાં ડૉક્ટર પાસે આવ્યું હતું, તે પોતાને 15 દિવસ સુધી ક્વોરન્ટાઇન કરી લે.

(12:24 am IST)