Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીરી પંડિતો માટે પાવન શારદા પીઠને આપી મંજૂરી

કાશ્મીરી હિંદુઓની લાગણીને ધ્યાનમાં લઈને શારદા પીઠ કોરિડોર ખોલવાનો નિર્ણંય

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન તરફથી કાશ્મીરી હિંદુઓની ભાવનાને ધ્યાનમાં રાખી શારદા પીઠ કોરિડોર ખોલવાનો ફેસલો લીધો છે. આ કોરિડોર ખોલવા માટે કાશ્મીરી હિંદુ પાછલા કેટલાય વર્ષથી માંગ કરી રહી હતી. પાછલા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે કરતારપુર કોરિડોર બાદ અહીં સ્થિત હિંદુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો ખોલવા પર વિચાર કરી રહ્યા છે. એ સમયે ભારતીય મીડિયા સાથે વાતચીત કરતા ઈમરાન ખાને પીઓકે સ્થિત શારદા પીઠ અને પંજાબ પ્રાંતમાં સ્થિત કટાસરાજ મંદિરનો ઉલ્લેખ કર્યો.હતો

 જમ્મુ અને કાશ્મીરના જાણીતા પ્રોફેસર અયાઝ રસૂલ નાજકી વર્ષ 2007માં શારદા પીઠ ગયા હતા અને તેઓ પહેલા ભારતીય હતા જેમણે આ શ્રાઈન જોયું હતું. આ શ્રાઈન કાશ્મીરી પંડિતો માટે બહુ મહત્વનું છે.શારદા પીઠને શારદા પીઠમ પણ કહેવાય છે અને આ નીલમ ઘાટીમાં સ્થિત શારદા યૂનિવર્સિટીની સામે છે. પીઓકેમાં લાઈન ઓફ કન્ટ્રોસ સ્થિત મુઝફ્ફાબાદથી આ 160 કિમી દૂર એક નાના ગામમાં આવે છે. આ ગામને શારદી અથવા સારદી કહેવાય છે. આ ગામમાં નીલમ નદી જેને ભારતમાં કિશનગંગાના નામે ઓળખાય છે, જે મધુમતિ અને સરગનુની ધારાને મળે છે.

  શારદા પીઠ ન માત્ર હિંદુઓને બલકે બૌદ્ધ ધર્મના અનુયાયિઓ માટે પણ મહત્વનું છે. અહીંથી કાલહાના અને આદિ શંકર જેવા દાર્શનિક નિકળે છે. કશ્મિરી પંડિત શારદા પીઠને ભારે મહત્વનું માને છે અને કહે છે કે આ ત્રણ દેવિઓથી મળીને બનેલ માં શક્તિનું સ્વરૂપ છે- શારદા, સરસ્વતી અને વાગદેવી જેને ભાષાની દેવી માનવામાં આવે છે.

(10:14 pm IST)