Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પાંચ બેઠકો આપવાની રાજભરે કરેલ માંગણી

૨૬મી માર્ચ સુધી મહેતલ આપી

નવીદિલ્હી, તા. ૨૫ : ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં મંત્રી અને સોહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ એમ પ્રકાશ રાજભરે આજે ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપી હતી કે, ૨૬મી માર્ચ સુધી ભાજપ તેમને પાંચ લોકસભા સીટ નહીં આપે તો છેડો ફાડી લેશે. અત્રે નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશની યોગી સરકારમાં મંત્રી રહી ચુકેલા ઓપી રાજભર અનેક વખત સીટોને લઇને ભાજપને ચેતવણી આપી ચુક્યા છે. રાજભરે કહ્યું છે કે, ભાજપ તરફથી સમજૂતિમાં આપવામાં આવતી પાંચ લોકસભા સીટોની જાહેરાત કરે તેવી અમારી ઇચ્છા છે. ૨૬મી માર્ચ સુધી પાંચ સીટો નહીં મળે તો અમારા રસ્તા અલગ રહેશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, રાજભર કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. તેમનું કહેવું છે કે, અમારા તમામ વિકલ્પો ખુલ્લા છે. ભાજપે ચૂંટણી વચનો પાળ્યા નથી. રાજભર સાથે ભારતીય જનતા પાર્ટીના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખરાબ થઇ રહ્યા છે.

(7:17 pm IST)