Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અખનૂરમાં સરહદે પાકિસ્તાનની અવળચંડાઇનો જડબાતોડ જવાબ:ભારતીય સેનાએ પાક,ચોંકીનો ખુરદો બોલાવી નાખ્યો

ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનની રેન્જર્સ ચોકી છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા

જમ્મુ કાશ્મીરના અખનૂરમાં પાકિસ્તાને સરહળ પર અવળચંડાઈ કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં બેફામ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં ભારતી સેનાએ પાકિસ્તાનની ચોકીને નષ્ટ કરી છે  ચોકી પર બોમ્બમારો કરવામાં આવતા પાકિસ્તાનની ચોકીનો ખુરદો બોલાવ્યો.હતો જે ચોકીને નષ્ટ કરવામાં આવી તે ચોકી પર પાકિસ્તાને ઊંધો ઝંડો લગાવ્યો હતો. જે ખતરાનો સંકેત આપે છે

  . ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનની રેન્જર્સ ચોકી છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. પાકિસ્તાન સતત અખનૂર સહિત રાજોરીમાં પણ સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતે બાલાકોટમાં કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. જેથી પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે

   ભારતે પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સતત ફફડી રહ્યું છે. ભય સતાવે છે તેમ છતાં પાક.પોતાની નાપાક હરકતોથી બાજ થી આવતું. આ સાથે જ અનેક વખત પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે.

(8:30 am IST)