Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હી સતત સળગી રહ્યુ છેઃ ઉગ્ર ભીડે પેટ્રોલપંપ પર આગ લગાવીઃ અનેક મેટ્રો સ્ટેશન બંધઃ ૧૪૪મી કલમ લાગુ

આજે સવારે પણ મૌજપુર વિસ્તારમાં ફરી પથ્થરમારો શરૂ થયો છે : દિલ્હીના ગોકુળપુરમાં થયેલા તોફાનોમાં પોલીસ કર્મચારી સહિત મૃત્યુઆંક વધીને પાંચ સુધી પહોંચ્યો છે. અનેક પોલીસો અને એક ડીસીપી ઘવાયા છે : જાફરાબાદ અને મોજપુરમાં સોમવારથી અહિં હિંસા શરૂ થઈ છે. અહિં એનો વિરોધ કરનારા અને સમર્થન કરનારા લો આમને-સામને આવી ગયા છે : દિલ્હીના બ્રહ્મપુરી વિસ્તારમાં આજે સવારે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો છે : સવારે ૩ સુધીમાં ઉત્તર દિલ્હીના ફાયર સ્ટેશનને આગ ચાંપવાના ૪૫ કોલ મળ્યા હતા : ફાયર બ્રિગેડની ગાડીને પણ સળગાવી દેવામાં આવી હતી : પોલીસ કહે છે સ્થિતિ અત્યંત ગંભીર છે : ઉત્તર - પૂર્વ દિલ્હીમાંથી હિંસા - સતત કોલ મળી રહ્યા છે : ઉગ્ર ભીડે પેટ્રોલપંપ પર આગ ચાપી હતી : અનેક મેટ્રો સ્ટેશન બંધ કરાયા : દિલ્હીમાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ છે.

(11:30 am IST)