Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

બોલીવુડની ચાંદની શ્રીદેવીના નિધન માટે કોસ્મેટિક સર્જરી કારણભૂત હોય શકે ? ચકચાર

શ્રીદેવી 29 સર્જરી કરાવી ચુકી છે : એક સર્જરીમાં ગરબડને કારણે ઘણી ડાયટ પીલ્સનું સેવન કરતી હતી

મુંબઈ : બોલીવુડની ચાંદની શ્રીદેવીના નિધન માટે કાર્ડિએક હુમલાને કારણે થયું કે કોસ્મેટિક સર્જરીને કારણે તે અંગે વિવિધ અટકળો શરુ થઈ છે ગત રાત્રે દુબઈમાં અભિનેત્રી શ્રીદેવીનું કાર્ડિએક અરેસ્ટથી નિધન થયું હતું બોલિવૂડની ‘ચાંદની’ના નિધન સમયે તે હોટલમાં પોતાના રૂમમાં એકલી હતી હવે સૂત્રોના હવાલાથી એ અહેવાલ મળી રહ્યા છે કે, શ્રીદેવીનું મોત કાર્ડિએક અરેસ્ટથી નહીં, પરંતુ કોઈ અન્ય કારણે થયું છે.

આ પહેલા સંજય કપૂરે કહ્યું હતું કે, તેમને હૃદયની કોઈ બીમારી ન હતી હવે એવી વાતો બહાર આવી રહી છે કે શ્રીદેવીએ ઘણી કોસ્મેટિક સર્જરી કરાવી હતી એવી 29 સર્જરી કરાવી ચૂકી હતી. તેમાંથી એક સર્જરીમાં ગરબડ થઈ ગઈ હતી અને તે ઘણી દવાઓ લઈ રહી હતી. સાઉથ કેલિફોર્નિયાના તેમના ડોક્ટરે તેને ઘણી ડાયલ પિલ્સ લેવાની સલાહ આપી હતી અને તે તેનું સેવન કરી રહી હતી.તે ઘણી એન્ટી એજિંગ દવાઓ લઈ રહી હતી. તેમાંથી લોહી જાડું થવાની ફરિયાદ થાય છે.

સૂત્રો મુજબ, શ્રીદેવીના મોતનું કારણ એ પણ હોઈ શકે છે. હાલ દુબઈમાં થયેલા તેના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીનો પાર્થિવ દેહ સોમવારે દુબઈથી ભારત લાવવામાં આવશે.

(11:41 pm IST)