Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મોડીરાત્રે શ્રીદેવીનો પાર્થિવદેહ મુંબઈ આવશે :કાલે બપોરે અંતિમવિધિ

માતાના નિધનના સમાચાર સાંભળી જ્હાન્વી દુબઇ પહોંચી :દીકરી ખુશી પણ શ્રીદેવીના નિધનથી હેબતાઈ ગઈ

મુંબઈ :બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું હૃદય રોગના હુમલા બાદ દુબઈમાં નિધન થયું છે. શ્રીદેવીએ દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતાં. 54 વર્ષીય શ્રીદેવીના અવસાનથી પતિ બોનીકપુરને ઘેરો આઘાત લાગ્યો છે તે વાત કરવાની સ્થિતિમાં નથી.જયારે દીકરી ખુશી પણ માના જવાથી એકદમ હેબતાઈ ગઈ છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ રવિવાર (25 ફેબ્રુઆરી)ના રોજ મોડી રાતે એટલે કે બેથી ત્રણની વચ્ચે મુંબઈ આવશે. દીકરી જાહન્વી પણ માતાના નિધનના સમાચાર સાંભળીને ભારતથી દુબઈ જતી રહી હતી.

(9:48 pm IST)