Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

FPI દ્વારા ફેબ્રુઆરી માસમાં ૧૦૦૦૦ કરોડ પરત ખેંચાયા

પીએનબી કૌભાંડ, વેચવાલીની પ્રતિકુળ અસર : એફપીઆઈ દ્વારા પહેલીથી ૨૩મી ફેબ્રુઆરી વેળા ડેબ્ટ માર્કેટમાં ૧,૫૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા

મુંબઈ, તા.૨૫ : વિદેશી મૂડીરોકાણકારોએ વૈશ્વિક વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારમાંથી આ મહિનામાં હજુ સુધી ૧૦૦૦૦ કરોડ રૂપિયા અથવા તો ૧.૫ અબજ ડોલરની જંગી રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક બજારમાં અફડાતફડીની સાથે સાથે પીએનબી ફ્રોડના કારણે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ હચમચી ઉઠ્યો છે.   પહેલી ફેબ્રુઆરીથી લઇને ૨૩મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી એફપીઆઇ દ્વારા ૯૮૯૯ કરોડ રૂપિયા  અથવા તો ૧.૫ અબજ ડોલર પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન એફપીઆઇ દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧૫૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. એકંદરે વેચવાલી વૈશ્વિક બજારમાં જારી રહેતા તેની અસર વિદેશી રોકાણકારો પણ દેખાઇ છે.  નવેસરના આંકડા દર્શાવે છે કે, જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૩૭૮૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ ફેબ્રુઆરી મહિનામાં જંગી નાણા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.  આંકડા દર્શાવે છે કે, ડિસેમ્બર મહિનામાં મૂડીમાર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ ૩૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.  એમએફ ફંડ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, એફપીઆઈ પણ ૨૦૧૮માં ૨૦૧૭ની જેમ દેખાવ કરી શકશે નહીં. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેથી સરકાર પાસેથી આર્થિક સુધારાની અપેક્ષા દેખાઈ રહી છે. સમગ્ર ૨૦૧૭માં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ મળીને મુડી માર્કેટમાં બે લાખ કરોડનુ રોકાણ કરવામાં આવ્યુ હતુ. નવેસરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં ડેબ્ટ માર્કેટમાં ૧.૪૯ ટ્રિલિયન રૂપિયા ઠાલવી દેવામાઆવ્યા હતા. વર્ષ ૨૦૧૬માં ૪૩૬૪૫ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૪માં ક્રમશ ૪૫૮.૫૬ અબજ  અને ૧.૬ ટ્રિલિયન રૂપિયા મળ્યા હતા. સરખામણીમાં વિદેશી રોકાણકારોએ ગયા વર્ષે ૫૧૦ અબજ  રૂપિયાની ખરીદી કરી હતી.   ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ૧૯૭૨૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. ગયા વર્ષે માર્ચ મહિના બાદથી એફપીઆઈ દ્વારા સૌથી જંગી રોકાણ કરવામાં આવ્યું  હતુ.  માર્ચ મહિના બાદથી એફપીઆઇ દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૧૭માં માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં ૩૦૯૦૬ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી રહી હતી.આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા.  ૨૦૧૭ સપ્ટેમ્બર મહિનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે.  નાણાં પ્રધાન જેટલીએ વર્ષ ૨૦૧૮-૧૯ માટેના બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સપર ૧૦ ટકા ટેક્સની શરૂઆત કરી હતી.હાલમાં અમેરિકી બજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. જેની અસર હેઠળ ભારતીય બજારમાં બે હજાર પોઇન્ટથી વધુનો ઘટાડો થયો હતો.

FPI દ્વારા વેચવાલી......

*   ભારતીય શેરબજારમાંથી આ મહિનામાં હજુ સુધી ૧૦૦૦૦ કરોડ રૂપિયા અથવા તો ૧.૫ અબજ ડોલરની જંગી રકમ પાછી ખેંચી લીધી છે.

*   વૈશ્વિક બજારમાં અફડાતફડીની સાથે સાથે પીએનબી ફ્રોડના કારણે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ હચમચી ઉઠ્યો છે

*   પહેલી ફેબ્રુઆરીથી લઇને ૨૩મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી એફપીઆઇ દ્વારા ૯૮૯૯ કરોડ રૂપિયા  અથવા તો ૧.૫ અબજ ડોલર પાછા ખેંચી લેવામાં આવ્યા છે

*   પહેલી ફેબ્રુઆરીથી લઇને ૨૩મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી એફપીઆઇ દ્વારા ૯૮૯૯ કરોડ રૂપિયા  અથવા તો ૧.૫ અબજ ડોલર પાછા ખેંચી લેવામાં આવ્યા છે

*   સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન એફપીઆઇ દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૧૫૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે

*   જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૩૭૮૦ કરોડ ઠાલવવામાં આવ્યા બાદ જંગી નાણા પાછા ખેંચવામાં આવી ચુક્યા છે

(7:41 pm IST)