Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

દિલ્હીનાં ભજનપુરા વિસ્તારમાં કોચિંગ સેન્ટરની છત ધરાસાયી : 5 વિદ્યાર્થીઓનાં મોત:13 લોકો ઈજાગ્રસ્ત

NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પહોંચ્યા

નવી દિલ્હી : દિલ્હીના ભજનપુરામાં એક ઈમારત ધરાશાયી થઈ..જેમાં પાંચના કરુંણમોત નિપજ્યા છે જયારે  13 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા ભજનપુરામાં ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ પહોંચી.જ્યાં ઈમારત ધરાશાયી થઈ.ત્યાં કોચિંગ સેન્ટર ચાલતુ હતુ. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ત્યારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

  એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઘટી ત્યારે તે સમયે ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. અકસ્માતને કારણે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેની સારવાર ચાલી રહી છે. છત પડવાના કારણે આ વિસ્તારમાં અરાજકતા જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ બચાવ ટીમ અને ફાયર બ્રિગેડ વિભાગ આવી પહોંચી હતી. બચાવ કામગીરી ચાલુ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી 13 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ વિદ્યાર્થીઓ હજી ગુમ છે. કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે. મળતી માહિતી મુજબ, જ્યાં કોચિંગ ચાલતુ હતુ, ત્યાં બાજુના મકાનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, તે પડવાને કારણે કોચિંગ રૂમ પણ તેની પકડમાં આવી ગયો હતો.

(8:10 pm IST)