Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા મકરસંક્રાંતિ,બર્થ ડે તથા 26 જાન્યુઆરી કાર્યક્રમની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી

શિકાગોઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોની માસિક સામાન્ય સભા શનિવાર તારીખ 11 જાન્યુઆરી ,2020 ના રોજ માનવ સેવા મંદિરમાં ૧૧:3 વાગે મળી હતી.જેમાં આશરે 170 જેટલા સભ્યોએ હાજરી આપી હતી.કાર્યક્રમની શરૂઆત કારોબારી કમિટી ના કોઓર્ડીનેટર શ્રી ભુપેન્દ્ર સુથાર, હેમા શાસ્ત્રી, શ્રીમતી નલિની શાહ, શ્રીમતી પન્ના શાહ તથા શ્રીમતી કોકિલા પટેલે સર્વધર્મ પ્રાર્થના  તથા હનુમાન ચાલીસાથી  કરવામાં આવી હતી અને બધા ભાઈબહેનોએ ગાવામાં સાથ પુરાવ્યો હતો. તે પછી શ્રી બિપિન શાહ, શ્રી ભુપેન્દ્ર સુથાર અને શ્રી સંદીપ શેઠે તેમના સુંદર સ્વરોમાં એક ભજન 'માલા રે જપી લે  રાધેશ્યામની' ગાયું હતું. તે પછી શ્રી સીવી દેસાઈએ ડીસેમ્બર માસનો  તથા આખા વર્ષનો વિગતવાર હિસાબ ડોનરના નામ સાથે રજુ કર્યો હતો. આજના આખા કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રી હીરાભાઈ પટેલે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

 

મકરસંક્રાંતિ પર્વ વિષે શ્રી સંદીપ શેઠે બહુ સુંદર બોલ્યા હતા. તેમણે જણાવ્યું કે  હિન્દૂ તહેવારોમાં મકર સંક્રાંતિનું મહત્વ ઘણું છે. ખગોળની રીતે સૂર્ય જયારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાન્તિનો પ્રારંભ થાય છે. આપણે માનીએ છીએ કે સૂર્ય જયારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારથી ઉત્તરાયણ શરૂ થાય છે, ઉત્તરાયણ એટલે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તરમાં જવાનું શરૂ કરે છે. દિવસ હંમેશ માટે 21/22 ડિસેમ્બર હોય છે. આથી દિવસને ઉત્તરાયણનો દિવસગણીએ છીએ. પરંતુ સૂર્ય મકર રાશિમાં જાન્યુઆરીની 14 તારીખે આવતો હોય છે. આથી આપણે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ કે મકરસંક્રાતિ ગણીએ છીએ. સૂર્ય ચોક્કસ તારીખે મકર રાશિમાં પ્રવેશ કરે છે, જે આપણે હાલ ઘણા વર્ષોથી 14 જાન્યુઆરી માનીએ છીએ. મકર સંક્રાંતિથી ઋતુ બદલાતી હોવાથી લોકો તલ,ચીકી, ગોળ, વગેરે વસ્તુઓનો ઉપયોગ ખાનપાનમાં કરે છે. પતંગનો ઉત્સવ થાય છે. હવે તો સમગ્ર વર્ષમાં જુદી જુદી રીતે પતંગ ઉત્સવ થાય છે.

શ્રી બિપિન શાહે રાષ્ટ્રીય પર્વ 26 મી જાન્યુઆરી  વિષે વિસ્તારથી પ્રવચન આપ્યું હતું.તેમણે જણાવ્યું કે ભારતનું  બંધારણ જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યું. દિવસે ભારતના રાષ્ટ્પતિ કાર્યક્રમની જગ્યા પર તેમની ખાસ બગીમાં આવે છે ત્યારે તેમને સલામી આપવામાં આવે છે અને લશ્કરની ત્રણેય શાખાઓના જવાનોની બેન્ડ દ્વારા જન મન ગન નું રાષ્ટ્ર ગીત ગવાય છે. વખતે બીજા દેશના વડાને મુખ્ય મહામાન તરીકે આમંત્રણ આપવામાં આવે છે. રાષ્ટ્પતિને 21 તોપોની સલામી અપાય છે. જળ, સ્થળ અને વાયુ ની ટુકડીઓ માર્ચ કરે છે અને રાષ્ટ્રપતિને સલામી આપે છે. એર ફોર્સના લડાયક વિમાનો  અને હેલીકૉપત્રોનું આકાશમાં ઉડ્ડન થાય છે. રીતે દિલ્હીમાં પ્રજાસત્તાક દિન ભવ્યતાથી ઉજવાય છે.

તે પછી 2020 ના વર્ષમાં જોડાયેલા નવા સભ્યોની ઓળખાણ વિધિ શ્રી મનુભાઈ શાહ  દ્વારા કરાવવામાં આવી હતી  અને તે પછી તેમનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.તે પછી શ્રી અરવિંદ કોટક અને શ્રી ભુપેન્દ્ર સુથારે જાન્યુઆરી માસમાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ દરેક બર્થ ડે વાળા સભ્યને 2020 થી માનવ સેવા મંદિરના ટ્રસ્ટી મંડળના થનાર ચેરમેન શ્રી ભાસ્કરભાઈ પટેલના  ના હસ્તે બર્થ ડે કાર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ શ્રી અરવિંદ કોટક અને શ્રી ભુપેન્દ્રભાઈની  સાથે બર્થ ડે નું ગીત 'બાર બાર દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી. અને બધાનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.

 

શ્રીમતી   ભાનુમતી મહેતાએ નવા વર્ષમાં બધા સિનિયર ભાઈ  બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે યોગાની કેટલીક  કસરતો કરાવી હતી જે બધાએ ભાનુબેનની સાથે કરી હતી.સિનિયર્સના સ્વાસ્થ્ય માટે યોગનું શું મહત્વ છે તે અંગે સમજાવ્યું હતું બધા સિનિયર ભાઈ બહેનો યોગથી બહુ પ્રભાવિત થયા. હિન્દુ સ્વયંસેવક સંઘના કાર્યવાહક શ્રી સંજયભાઈ પટેલે સૂર્ય નમસ્કારનું નિદર્શન કર્યું ત્યારે બેન્સીલવેનિઆ ના પ્રજ્ઞા શાખાના મુખ્ય શિક્ષક પ્રો. જશવંત પટેલ હાજર રહ્યા હતા. સિનિયર ભાઈ બહેનોએ સૂર્ય નમસ્કારના  નિદર્શનમાં ભાગ લીધો હતો. બધાએ કાર્યક્રમમાં ખુરશીમાં બેઠા બેઠા ભાગ લીધો હતો.

 ડૉ. અનંતભાઈ રાવલે બધા સિનિયર્સ ભાઈ બહેનોને નવા વર્ષના આશિર્વાદ આપતાં જણાવ્યું કે

 હે મહાન ઐંશ્વર્યવાળા ઈન્દ્રદેવ અમારું કલ્યાણ કરો.

 અનિષ્ટનો નાશ કરીને દેવગુરુ અમને સુખી બનાવો.

 અમે હંમેશા અમારા કાનથી સારા વચનો સાંભળીએ.

 અમે પુત્ર-પુત્રીઓથી મુક્ત થઈને ઘરડાં થતાં સુધી સો વર્ષનું પૂર્ણ જીવન જીવીએ.

 અધ્ધ વચ્ચે ક્યારેય મરણ પામીએ.

 હે સર્વે દેવ ગણો, તમો અમોને ખુબ ધન- ઐંશ્વર્ય - સમૃદ્ધિ આપો અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરો.

માનવ સેવા મંદિરના હાલના ટ્રસ્ટી કમિટીના ચેરમેન શ્રી પ્રદીપ પટેલ અને તેમના પત્ની શ્રીમતી ભારતીબેન, માનવ સેવા મંદિરના હાલના ટ્રસ્ટી કમિટીના જનરલ સેક્રેટરી શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ અને 2020 થી માનવ સેવા મંદિરના ટ્રસ્ટી કમિટીના ચેરમેન તરીકે સેવા આપનાર શ્રી ભાસ્કરભાઈ પટેલ અને તેમની પત્ની નું  ગુલાબના ફૂલોના બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની સેવાને બિરદાવવામાં આવી હતી.

26 જાન્યુઆરી 2020 માં આપણો પ્રજાસત્તાક દિન આવતો હોવાથી તેની ઉજવણી કરવામાં આવી હતી. આપણા રાષ્ટધ્વજને બધા સિનિયર ભાઈ બહેનો સામે એક લાકડી પર લટકાવવામાં આવ્યો હતો અને તેને ફરકાવવા માટે શ્રી ભુપેન્દ્રભાઈ સુથારે શ્રી ભાસ્કરભાઈ પટેલને આમંત્રિત કર્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ધ્વજને સલામી આપી 'જન ગણ મન' બધાએ ઉભા થઈને ગાયું હતું અને પછી 'ભારત માતાકી જય'ની ગર્જના બધાએ સાથે  કરી હતીતે પછી શ્રી ભુપેન્દ્રભાઈ સુથારે પ્રસંગને અનુરૂપ દેશપ્રેમની કેટલીક પંક્તિઓનું ગાન કર્યું હતું. શ્રીમતી પુષ્પાબેન પટેલે દેશપ્રેમને લગતુ ગીત પોતાના આગવા સ્વરમાં રજૂ કર્યું હતું. તે પછી કેટલાક શ્લોગન જેવા કે 'ભારત માતાકી જય '  'જુવાનો અમર રહો 'ની ગર્જના બધાએ સાથે  કરી હતી અંતમાં શ્લોકનું  ગાન કર્યું હતું. શ્રીમતી પુષ્પાબેન પટેલે દેશપ્રેમને લગતુ ગીત પોતાના આગવા સ્વરમાં રજૂ કર્યું હતું. તે પછી કેટલાક શ્લોગન જેવા કે 'ભારત માતાકી જય '  'જુવાનો અમર રહો 'ની ગર્જના બધાએ સાથે કરી હતી અંતમાં શ્લોકનું ગાન કરીને બધા ભાઈ-બહેનોએ સ્વાદિષ્ટ ભોજન લઈને વિદાય લીધી હતી તેવું ફોટો અને માહિતી કલા/જયંતી ઓઝા (અકિલા) ની યાદી દ્વારા જાણવા મળે છે.

(4:12 pm IST)