Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મુકેશ અંબાણીના બંગલા બહાર તૈનાત CRPFનો જવાન મિસફાયર થતા શહીદ: મૃતક દેવદાન કેશોદનો રહેવાસી

કેશોદના ડેરવાણ ગામના દેવદાન બકોત્રા ચાર વર્ષથી CRPF માં ફરજ બજાવતો

 

મુંબઈ : મુકેશ અંબાણીના બંગલા બહાર તૈનાત  31 વર્ષીય CRPF જવાન ભૂલથી બંદૂક ચાલી જતા શહીદ થયો છે. મૃતક દેવદાન બકોત્રા જૂનાગઢના કેશોદનો રહેવાસી છે. બુધવાર સાંજે 7 વાગ્યા આસપાસ મુકેશ અંબાણીના 27 માળના બંગલા 'એંટીલિયા' બહાર સુરક્ષામાં જવાન તૈનાત હતો. હાલ પોલીસે જવાનના મોત અંગે તપાસ હાથ ધરી છે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષામાં તૈનાત જવાન શહીદ થયા છે. મૂળ કેશોદના ડેરવાણ ગામના જવાન ફરજ દરમિયાન શહીદ થયા છે. દેવદાન બકોત્રા નામના જવાનને ફરજ દરમિયાન ગોળી વાગી હતી. છેલ્લા ચાર વર્ષથી ડેરવાણ ગામના જવાન CRPFમાં ફરજ બજાવતો હતો.

 

(12:22 am IST)