Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

CAA અને NRC પર બબાલની વચ્ચે હવે NPRની તૈયારી

મોદી કેબિનેટ આજે પ્રસ્તાવ પર મારી શકે છે મહોર

નવી દિલ્હી, તા.૨૪:  નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરને લઈ ચાલી રહેલી બબાલની વચ્ચે મોદી સરકાર વધુ એક મોટું પગલું ભરવાની કરી રહી છે. મૂળે, કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવાર સવારે ૧૦:૩૦ વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર એટલે કે NPRને મંજૂરી મળી શકે છે. NPR અપડેટ કરવાની પ્રક્રિયા આવતા વર્ષે પહેલી એપ્રિલથી શરૂ થશે.

કેબિનેટની બેઠક માટે નિયત એજન્ડામાં NPRને લઈ પ્રસ્તાવ પણ સામેલ છે. તેમાં દેશના ' સામાન્ય નાગરિકો'ની ગણતરી કરવામાં આવે છે. 'સામાન્ય નાગરિકો'નો મતલબ તે વ્યકિત સાથે છે, જે કોઈ સ્થાનિક ક્ષેત્રમાં છેલ્લા ૬ મહિના કે તેનાથી વધુ સમયથી રહી રહ્યા હોય કે આગામી ૬ મહિના કે તેનાથી વધુ સમય માટે તે ક્ષેત્રમાં રહેવાની તેની યોજના હોય. દરેક નાગરિક માટે રજિસ્ટરમાં નામ નોંધાવવું અનિવાર્ય હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના માટે કેબિનેટ પાસેથી ૩,૯૪૧ કરોડ રૂપિયાની માંગ પણ કરી છે. આજની મીટિંગમાં NPR માટે બજેટની પણ મંજૂરી આપી શકાય છે.

રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર હેઠળ ૧ એપ્રિલ ૨૦૨૦થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે દેશભરમાં દ્યરે-દ્યરે જઈને જનગણનાની તૈયારી છે. દેશના સામાન્ય નિવાસીઓની વ્યાપક ઓળખનો ડેટાબેઝ બનાવવો NPRનુ મુખ્ય લક્ષ્ય છે. આ ડેટામાં બાયોમેટ્રિક જાણકારી પણ હશે.

NPRને તૈયાર કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તેની પ્રક્રિયા ત્રણ ચરણોમાં થશે. પહેલા ચરણની શરૂઆત ૧ એપ્રિલ ૨૦૨૦થી થશે. ૩૦ સપ્ટેમ્બરની વચ્ચે કેન્દ્ર અને રાજય સરકારના કર્મચારી દ્યરે-દ્યરે જઈને જનસંખ્યાના આંકડા એકત્ર કરશે. NPRનું બીજું ચરણ ૨૦૨૧માં ૯ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરીની વચ્ચે પૂરી કરવામાં આવશે. ત્રીજા ચરણ હેઠળ ૧ માર્ચથી ૫ માર્ચની વચ્ચે સંશોધનની પ્રક્રિયા થશે.NRC કેટલું અલગ છે NPR?

NPR અને NRCમાં અંતર છે. NRCની પાછળ જયાં દેશમાં ગેરકાયદેસર નાગરિકોની ઓળખનો ઉદ્દેશ્ય છે, તો બીજી તરફ ૬ મિહના કે તેનાથી વધુ સમયથી સ્થાનિક ક્ષેત્રમાં રહેનારા કોઈ પણ નિવાસીને NPRમાં અનિવાર્ય રીતે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કોઈ વિદેશી પણ જો દેશના કોઈ હિસ્સામાં ૬ મહિનાથી રહી રહ્યો છે તો તેને પણ NPRમાં પોતાની વિગતો નોંધાવવી પડશે. NPRને પહેલ સૌપ્રથમ ૨૦૧૦માં યૂપીએ સરકારે કરી હતી. ત્યારે ૨૦૧૧માં જનગણના પહેલા આ કામ શરૂ થયું હતું. હવે ફરી ૨૦૨૧માં જનગણના થવાની છે. એવામાં NPR ઉપર પણ કામ શરૂ થઈ રહ્યું છે.

(11:31 am IST)