Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ઇમરાન ખાને પાકિસ્તાન આવવા સિધ્ધુને ફરી આપ્યું આમંત્રણ

નવી દિલ્હી તા. ૨૪ : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી નવજોત સિંહ સિદ્ઘુને આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ઘુને ઇમરાન ખાને કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ પર આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનના આમંત્રણ પર સિદ્ઘુએ કહ્યું કે ભારત સરકારની પરવાનગી લઈને જઈશ.

પાકિસ્તાનમાં ઇમરાન ખાન ૨૮ નવેમ્બરે અને ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ૨૬ નવેમ્બરે કોરિડોરનું શિલાન્યાસ કરશે.

(10:45 am IST)