Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૯૦૬ નવા કેસો નોંધાયા

દેશમાં બે દિવસમાં ૧૧૦૦થી વધુના મોતથી ફફડાટ : છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫૬૧ લોકોના મોત થયા છે

નવી દિલ્હી, તા.૨૪ : દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૧૫,૯૦૬ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે અને  ૫૬૧ લોકોના મોત થયા છે. શનિવારે ૧૬,૩૨૬ નવા કેસ નોંધાયા હતા અને ૬૬૬  સંક્રમિતોના મોત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૭૨,૫૯૪ પર પહોંચી છે.  દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -૧૯ માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે.

ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.

(7:13 pm IST)