Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

મહેન્દ્રસિંહ ધોની કાલે મોટો નિર્ણય લેશે: સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

બપોરે 2 વાગ્યે ફેસબુક લાઈવ પર એક સમાચાર આપશે .

મુંબઈ : ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની આવતીકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા ધોનીએ પોતે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે આવતીકાલે (રવિવારે) બપોરે 2 વાગ્યે ફેસબુક લાઈવ પર એક સમાચાર આપવા જઈ રહ્યો છે.
એમએસ ધોનીએ પોતાના ફેસબુક પ્રોફાઈલ પર પોસ્ટ કરીને લાઈવ આવવાની માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે માહી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની પોતાના ફેન્સ સાથે લાઈવ કનેક્ટ થવા જઈ રહ્યો છે. 25 સપ્ટેમ્બરે ધોની તેના ચાહકો સાથે વાત કરશે અને આશા છે કે તે કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે.
એમએસ ધોનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે લાઈવ આવીને આ માહિતી આપીશ. આશા છે કે તમે બધા ત્યાં હશો."

(8:48 pm IST)