Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીનું કોરોનાને કારણે નિધન : દિલ્હીની IIMSમાં અંતિમ શ્વાસ લીધા

વડાપ્રધાન મોદીએ સુરેશ અંગડીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી : રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું કોરોના વાયરસના કારણે નિધન થયું છે. તેમનું 65 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 11 સપ્ટેમ્બરે કોરોના પોઝિટિવ થયા હતા. તેમની સારવાર એઇમ્સમાં ચાલી રહી હતી

   વડાપ્રધાન  મોદીએ સુરેશ અંગડીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. પીએમએ ટ્વિટ કરીને લખ્યું કે, સુરેશ અંગડી એક અસામાન્ય કાર્યકર્તા હતા. જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજૂબત બનાવવા માટે સખત મહેનત કરી. તેઓ સમર્પિત સાંસદ અને અસરકારક પ્રધાન હતા, તેઓ સમગ્ર સ્પેક્ટ્રમ પ્રશંસિત હતા. તેમનું નિધન દુ:ખદાયક છે. મારા વિચારો આ દુ:ખદ ઘડીમાં તેના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ.

(12:00 am IST)