Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

લો બોલો : બિહારમાં ગુન્હાખોરોને ધાર્મિક ઉત્સવમાં કોઈ 'કાંડ' નહિ કરવા સુશીલ મોદીએ કર્યો આગ્રહ

ગયામાં પિતૃપક્ષ મેળામાં આવો આગ્રહ કરતા હોબાળો :તેજસ્વીએ કહ્યું પગ પકડે તો નવાઈ નહી:સુશીલ મોદીની ભલામણની ગણતરીની કલાકો બાદ પૂર્વ મેયરની હત્યા

 

ગયા : ગયામાં પિતૃપક્ષ મેળાના ઉદ્ઘાટન કરવા પહોંચેલા બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કંઇક એવુ નિવેદન આપ્યું જેનાથી રાજનૈતિક વિરોધીઓનાં નિશાન પર આવી ગયો છે.સુશીલ મોદીના પિતૃપક્ષ કાર્યક્રમમાં મંચથી ગુનાઓનો આગ્રહ કરતા કહ્યું હતું, બિહારમાં ગુનાખોરોને આગ્રહ છે કે પિતૃપક્ષના 15 દિવસોમાં ધાર્મિક ઉત્સવમાં કોઇ ઘટના કરે. નિવેદન બાદ બિહારમાં રાજનૈતિક હોબાળો મચેલો છે.

  આરજેડીનું કહેવું છે કે બિહારમાં સરકારના એવા દિવસો આવી ગયા છે કે બિહારના ઉપમુખ્યમંત્રી ગુનાખોરોને પકડવાના બદલે તેમને ભલામણો કરી રહ્યા છે, અને ગુના નહી કરવા માટેની અપીલ કરી રહ્યા છે

  બિહારના પુર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરી કહ્યું કે, થોડા દિવસોમાં દિલાસા માસ્ટરની કુખ્યાત જોડી ડરના કારણે ગુનાખોરોના પગ પકડે તો અચંબિત થતા. થોડા દિવસોથી બિહારમાં વધતા ગુનાઓ મુદ્દે મુખ્યમંત્રી નીતીશ કુમાર સરકાર સતત વિપક્ષના નિશાન પર છે. સુશીલ મોદીના નિવેદને આરજેડીને વધારે એક મુદ્દો આપ્યો છે

એક તરફ ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી ગુનાઓથી અપીલ લગાવી રહ્યા હતા તો બીજી તરફ મુજફ્ફરપુરમાં ગુનાખોરોએ પુર્વ મેયર પર AK47 વડે ગોળીઓ વરસાવી રહ્યા હતા. જેમાં પૂર્વ મેયર સમીર કુમારની તેમના ડ્રાઇવર સહિત હત્યા કરી દેવાઇ હતી.

(1:00 am IST)