Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પતંજલી જનતાને વધી રહેલી મોંઘવારીમાં રાહત આપશેઃ રામદેવજી મહારાજ દ્વારા ફુડ પ્રોડક્ટનું લોન્ચીંગ

નવી દિલ્હી- બાબા રામદેવની કંપની પતંજલિએ હવે મિલ્ક બિઝનેસમાં એન્ટ્રી કરી છે. થોડાક દિવસ પહેલા તેમણે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં બાબા રામદેવે જાહેરાત કરી હતી કે તેમની કંપની દિલ્હી-એનસીઆરથી દૂધ અને દૂધમાંથી બનાવવામાં આવતી વસ્તુઓનું વેચાણ કરવા જઈ રહી છે. બાબાના લૉન્ચ પ્રોગ્રામમાં દૂધ, દહીં, પનીર, છાશ, માખણ જેવા ફૂડ પ્રોડક્ટ્સ પણ શામેલ હતા. પતંજલિ ડેરી બિઝનેસમાં આવવાની વાત 2016થી કરી રહી હતી.

રામદેવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે અમારી ફૂડ પ્રોડક્ટ્સને 50 ટકા સસ્તી રાખીએ છીએ. પતંજલિનું ગાયનું દૂધ પણ બજારમાં ઉપલબ્ધ અન્ય દૂધની સરખામણીમાં સસ્તું છે. અમે દૂધ 40 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચી રહ્યા છીએ, બજારમાં તેની કિંમત 42 રુપિયા પ્રતિ લીટર છે. પતંજલિ જનતાને વધી રહેલી મોંઘવારીમાં રાહત અપાવશે.

રામદેવે દાવો કર્યે છે કે તે દૂધ બિઝનેસમાં બીકાનેર અને શેખાવટીના 2000 ગામના ખેડૂતોને મદદ કરશે. તે 1 લાખ ખેડૂતો સાથે સીધી રીતે જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતો સાથે ડાઈરેક્ટ સંપર્ક હોવાને કારણે તે અન્ય ડેરી કંપનીઓની સરખામણીમાં વધારે ફાયદો મળશે. પતંજલિએ ખેડૂતો માટે ચારો અને સોલર પેનલ પણ લોન્ચ કરી છે.

રામદેવે જણાવ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે લોકોને આર્થિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા મળે. તેમને શૈક્ષણિક સ્વતંત્રતા મળે. અમે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે સ્વતંત્રતા ઈચ્છીએ છીએ. અમે વિદેશી કંપનીઓને શિર્ષાસન કરાવ્યું અને ભારતમાં સ્વદેશી વસ્તુઓના સન્માનને પાછા લઈ આવ્યા.

ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી ડેરી કંપની અમૂલ એક પંચલાઈનનો ઉપયોગ વર્ષોથી કરે છે, અમૂલ- ટેસ્ટ ઓફ ઈન્ડિયા. બાબા રામદેવની વાતો પંચલાઈનને મળતી આવે છે. ભારતની દરેક FMCG કંપનીઓની નજર ડેરી સેક્ટર પર છે. એડિબલ ઓઈલ પછી દેશનો બીજો સૌથી મોટો પેકેજ્ડ ફૂડ બિઝનેસ છે.

દિલ્હી-એનસીઆરમાં પતંજલિના એક મોટા ડિસ્ટ્રીબ્યૂટરે જણાવ્યું કે, કંપની દૂધની ડિમાન્ડને પહોંચી નથી વળી શકતી. કસ્ટમર ઘણી વાર સ્ટોર્સમાં આવીને નવી પ્રોડક્ટ્સ વિષે પૂછે છે. 40 રુપિયા પ્રતિ લીટર દૂધની જાહેરાત થયા પછી અમૂલના દૂધની માંગ ઘટવાની શરુઆત થઈ ગઈ. પરંતુ ભારતના ડેરી બિઝનેસ પર અમૂલનો સિક્કો ચાલી રહ્યો છે અને અન્ય કંપનીઓની પણ અહીં સારી પકડ છે.

(5:18 pm IST)