Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

જેટલીજીને અંતિમ વિદાયમાન આપવા વિજયભાઈ રૂપાણી કાલે દિલ્હી જશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીજીના અંતિમ દર્શન અને અંત્યેષ્ટિમાં ઉપસ્થિત રહેવા આવતીકાલે રવિવારે સવારે નવી દિલ્હી  જશે.  વિજયભાઈ કાલે રવિવારે બપોરે ૧૨ વાગ્યે ભાજપા મુખ્યાલય ખાતે સ્વ. જેટલિજીના અંતિમ દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કરશે. ત્યાર બાદ તેમની અંતિમ યાત્રામાં  પણ જોડાશે.વિજયભાઈ કાલે સાંજે ગાંધીનગર પરત આવશે.

(8:06 pm IST)