Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

છત્તીસગઢના નારાયણપુરામાં સુરક્ષા દળોને મોટી સફળતા:એન્કાઉન્ટરમાં 5 નક્સલી ઠાર

એન્કાઉન્ટરમાં નક્સલીઓ કરેલા ફાયરિંગમાં બે જવાન ઘાયલ

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં પાંચ નક્સલીઓ ઠાર મરાયા છે. એન્કાઉન્ટરમાં ડીઆરજીને બે જવાન ઘાયલ થયા છે. બીજી તરફ, કેટલાક અન્ય નક્સલી માર્યા ગયા હોવાના કે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

  બસ્તર આઈજી વિવેકાનંદ સિન્હાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. હાલ બંને તરફથી ફાયરિંગ બંધ થઈ ગયું છે. જવાનોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.
    મળતી જાણકારી મુજબ, ઓરછા-ગુમરકાના જંગલમાં સુરક્ષા દળોના જવાન અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. કહેવામાં આવી રહ્યું છે કે જવાનોને નક્સલીઓની ઉપસ્થિતિની માહિતી મળી હતી. નક્સલી મૂવમેન્ટની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળના જવાન ઓપરેશન માટે રવાના થયા.

(1:38 pm IST)