Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

પતંજલિનાં CEO આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડી : હ્ર્દયમાં દુખાવાની ફરિયાદ એમ્સ ઋષિકેશમાં કર્યા દાખલ

હરિદ્વારના ભૂમાનંદ હોસ્પિટલ બાદ ઋષિકેશ એઇમ્સમાં ખસેડાયા

યોગ ગુરુ સ્વામી રામદેવના સહયોગી અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણને હૃદયમાં દુખાવાની ફરિયાદ બાદ તેઓને ઋષિકેશ સ્થિત એઈમ્સમાં ખસેડાયા છે. તેમને પહેલા હરિદ્વાર પાસે ભૂમાનંદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં ડોક્ટરોએ તેમને ઋષિકેશમાં એઈમ્સમાં ખસેડવા સલાહ આપી હતી

બાબા રામદેવના પ્રવક્તા એસ.કે.તિજારાવાલાએ કહ્યું કે આચાર્ય બાલકૃષ્ણની હાલત સ્થિર છે. શુક્રવારે પતંજલિ સંસ્થાના બહાદરાબાદમાં ફેસ-1માં ઓફિસનું રૂટિન કામ કરતા સમયે તેમણે હૃદયમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. કહેવાઈ રહ્યુ છેકે, તેઓ પતંજલિમાં જ હતા.

(12:00 am IST)