Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

એક દિવસ ભાજપને ખબર પડશે કે બધુ જ ખરીદી શકાતુ નથી;કર્ણાટક મામલે પ્રિયંકા ગાંધીના પ્રહાર

પ્રત્યેક વ્યક્તિને હેરાન કરવા પણ યોગ્ય નથી અને હેરાન કરી શકાય નહીં

>નવી દિલ્હી :કર્ણાટકમાં આખરે રાજકીય નાટકનો અંત આવ્યો છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, એક દિવસ ભાજપને ખબર પડશે કે બધુ જ ખરીદી શકાતુ નથી. પ્રત્યેક વ્યક્તિને હેરાન કરવા પણ યોગ્ય નથી અને હેરાન કરી શકાય નહીં. આખરે જૂઠ એક દિવસ સામે આવી જ જાય છે. ભાજપે પણ સરકાર રચવા માટે દાવો કર્યો છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આ મામલે કટાક્ષ કર્યો છે
(10:57 am IST)