Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કર્ણાટકમાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફ્ળ કુમારસ્વામી સીધા રાજભવન પહોંચ્યા :રાજ્યપાલ વજુભાઇ વાળાને રાજીનામુ આપ્યું

નવી દિલ્હી : કર્ણાટકમાં14 મહિના જૂની કોંગ્રેસ-જેડીએસ સરકારનું પતન થયું છે વિધાનસભામાં વિશ્વાસ મત મામલે સરકાર નિષ્ફળ જતા સીએમ કુમારસ્વામીએ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે

 . પોતાને અકસ્માતે સીએમ બનવાનું કહેનારા કુમારસ્વામીએ ઘરભેગા થવાનો વારો આવ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) ની ગઠબંધન સરકાર તૂટી ગઈ છે. મંગળવારે વિશ્વાસમત કર્ણાટક વિધાનસભામાં રજૂ કરાયો હતો. જેમાં કુમારસ્વામી બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

જો કે વિધાનસભામાં વિશ્વાસમત ગુમાવ્યા બાદ કુમારસ્વામી સીધા રાજભવન પહોંચ્યાં હતાં. તેમજ રાજ્યપાલ વજુભાઇ વાળાને પોતાનું રાજીનામું આપ્યું હતું.

(12:00 am IST)