Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

દેશમાં સતત 17માં દિવસે કોરોનાનો સાપ્તાહિક સંક્રમણ દર 5 ટકાથી નીચે

છેલ્લા 42 દિવસથી કોરોનાના નવા કેસ કરતા સાજા થવાની સંખ્યા વધુ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર ખત્મ થવાના આરે છે સતત 42 દિવસથી દેશમાં કોરોનાના નવા કેસની તુલનામાં તેનાથી સાજા થવાની સંખ્યા વધારે છે. દેશમાં હવે કોરોનાથી સાજા થવાનો દર વધીને 96.61 ટકા પર પહોંચ્યો છે. ત્યાં જ સાપ્તાહિક સંક્રમણ દર પણ સતત 5 ટકાથી નીચે છે. હાલના સમયમાં તે 3.04 ટકા પર છે. ત્યાં જ ગયા એક દિવસમાં સંક્રમણ દર 2.91 ટકા જ રહ્યો છે. સતત 17માં દિવસે પણ દૈનિક સંક્રમણ દર 5 ટકાની નીચે છે.

(12:09 pm IST)