Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશની મોહનપુરા સિંચાઇ યોજનાં ખુલ્લી મુકી : ૪૦૦૦ કરોડની મહત્વાકાંક્ષી યોજનાનું લોકાર્પણ થયું : ત્રણ અન્ય સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્તો

નવી દિલ્હી : મધ્યપ્રદેશનાં રાજકીય મુકામે સરકાર દ્વારા રૃા. ૪૦૦૦ હજાર કરોડનાં ખર્ચે નિર્માણ કરાયેલ મોહનપુરા સિંચાઇ યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત વડાપ્રધાને ૩ અન્ય સિંચાઇ યોજનાઓનાં ખાતમુહૂર્ર્ત કર્યા હતા.

આ તકે શ્રી મોદીએ જણાવ્યું હતું કે માત્ર ૪ વર્ષમાં જ આ મહત્વાંકાક્ષી સિંચાઇ યોજનાનું નિર્માણ થયું છે. જે દર્શાવે છે કે રાજયનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે.

(4:53 pm IST)